15 મી ઓગસ્ટ નિબંધ | સ્વતંત્રતા દિવસ નિબંધ

આજે હું તમને 15 મી ઓગસ્ટ નિબંધ વિશે કહીશ. હું આશા કરું છું કે તમને આ 15 મી ઓગસ્ટ નિબંધ ગમશે. જો તમને આ 15 મી ઓગસ્ટ નિબંધ ગમે તો એક વાર આ રક્ષાબંધન નિબંધ પણ વાંચો.

15 મી ઓગસ્ટ નિબંધ

15-મી-ઓગસ્ટ-નિબંધ-સ્વતંત્રતા-દિવસ-નિબંધ

15 મી ઓગષ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતના મુખ્ય ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે : ૧૫ મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ , 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે અને બીજી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ. ભારતમાં લગભગ 200 વર્ષ સુધી અંગેજોનું શાસન હતું. . આપણો દેશ પંદરમી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો ,આ ખુશીમાં આપણે આઝાદીનો તહેવાર ધાધૂમથી ઉજવીએ છીએ.

15 મી ઓગષ્ટની ઉજવણી

સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે સરકારી કાર્યાલયોમાં જાહેર રજા રાખવામાં આવે છે . સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ તેમજ શાળાઓ અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાઓથી આખો દેશ ગુંજી ઊઠે છે. સમગ્ર દેશ રોશનીથી જળહળી ઊઠે છે. ટીવી અને રેડિયો પર આખો દિવસ દેશભક્તિના કાર્યક્રમો પ્રકાશિત કરવામાં આવે છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારંભની ઉજવણી નવી દિલ્હીમાં કરવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે , રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે તેમજ દેશની જનતાને પ્રજાજોગ સંદેશ પાઠવે છે. વડાપ્રધાન દેશની આઝાદી માટે પોતાની કુરબાની આપનાર વીર શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે . રમતગમત , વિજ્ઞાન અને સાહિત્યક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ અંગે માહિતી આપે છે. આ પ્રસંગે તેઓ સરકારના દેશના વિકાસના કાર્યોની સમીક્ષા પણ કરે છે. સુરક્ષા દળો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવે છે. ભારતની સુરક્ષા માટે સતત કાર્યરત એવા ભૂમિદળ , હવાઈદળ અને નૌકાદળ સાથે મળીને તેમની શક્તિને પ્રદર્શિત કરે છે.

દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા આવી જ રીતે રાજ્યના રાજધાની સ્થળે ધ્વજવંદન કરવામાં આવે છે.આ૫ણા ગુજરાતમાં દર વખત અલગ-અલગ જિલ્લાઓમાં ક્રમાનુસાર રાજય કક્ષાનો ૧૫મી ઓગષ્ટનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાજયના મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યાંના લશ્કરી અને અર્ધલશ્કરી દળો દ્વારા પરેડ કરવામાં આવે છે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દરેક શાળા અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારે ઢોલ નગારા સાથે પ્રભતાફેરી કાઢવામા આવે છે. પ્રભાતફેરીમાં દેશભક્તિના નારા અને દેશભક્તિ ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજવંદન વિધિ બાદ વિવિધ નાટકો , નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને દેશભક્તિનો સંદેશ દેશના દરેક નાગરિક સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વ

ઈ.સ.1757 થી અંગ્રેજોએ ભારત દેશના શાસનમાં પગપેસારો કર્યો હતો . ત્યારથી લઈને 1947 સુધી લગભગ 200 વર્ષ સુધી ભારત દેશ અંગ્રેજ શાસનનો ગુલામ રહ્યો. 200 વર્ષમાં બ્રિટિશરોએ ભારતની અબજો રૂપિયાની સંપતિ લૂંટી લીધી હતી. તેઓ દેશના લોકોના ભોગે સામ્રાજ્યનો વિસ્તાર કરી રહ્યા હતા. વળી સૈન્ય , ઉદ્યોગ , ધંધા દરેક ક્ષેત્રમાં ઉચ્ચ પદો પર બ્રિટિશરોને જ રાખવામાં આવતા હતા. ભારતીય કર્મચારીઓને બઢતી અને વેતનમાં પણ અન્યાય કરવામાં આવતો હતો. આ અન્યાયના લીધે ભારતની પ્રજામાં બ્રિટિશરો વિરૂદ્ધ લડત ચલાવવાની ફરજ પડી. 1857માં લશ્કરમાં આ લડત ઉગ્ર બની.

આ પહેલા ભારતના દરેક દેશી રજવાડાઓના રાજાઓ અંગ્રેજો વિરૂદ્ધ અલગ અલગ લડત કરતા રહ્યા હતા પરંતુ 1857ના સંગ્રામ બાદ બધા જ લોકો એક સાથે મળીને લડત ચલાવી. 1942માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ અંગ્રેજો ભારત છોડોના નારા સાથે ” હિંદ છોડો ચળવળ” ની શરૂઆત થઈ. ઠેર ઠેર બ્રિટિશ શાસન વિરુદ્ધ પ્રદર્શનો થયાં. સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું. વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર થવા લાગ્યો . ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અહિંસક આંદોલનો થયાં, તો કેટલાક વિસ્તારોમાં પ્રજાનો રોષ ઉગ્ર બનતાં અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી હતી.

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા મહાત્મા ગાંધીજી , સરદાર વલ્લભભાઈ પટેલ , જવાહરલાલ નેહરુ , લાલા લજપતરાય , સુભાષચંદ્ર બોઝ ,વીર ભગતસિંહ , ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ઢિંગરા , લોકમાન્ય તિલક , રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વિરોએ દેશની આઝાદી માટે અંગ્રેજો વિરૂદ્ધ લડત ચલાવી. અનેક નામી અનામી વિરો શહીદ થયા. આઝાદીની લડતનાં દેશના દરેક વિસ્તારના અને દરેક કોમના લોકો એક થઈને અંગેજો વિરૂદ્ધ લડત ચલાવી હતી.

દેશની સેવા માટે તેમણે પોતાના જીવનની પરવાહ કર્યા વગર પ્રયાસો કર્યા છે. અનેક વિરો શહીદ થયા અને અનેક લોકો અંગ્રજોના દમન અને અત્યાચારનો ભોગ પણ બન્યા. અંતે દેશના દેશભક્તો આગળ અંગ્રેજ સરકારને ઝૂકવું પડયું અને ભારત છોડીને ચાલ્યા ગયા. આઝાદીની લડત સમયે શહીદ થનાર વીરોનાં બલિદાનને યાદ કરીએ ત્યારે તેમનાં બલિદાનને ઉજાગર કરતું અને શ્રદ્ધાંજલિ આપતું રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીનું દેશભક્તિ ગીત યાદ આવી જાય.

“રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;

ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.”

સ્વતંત્રતા દિવસ વિશે કેટલીક આશ્ચર્યજનક અને રસપ્રદ વાતો

  1. આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ લોકોએ આપણા પર રાજ કર્યુ. પણ શુ આપ જાણો છો કે 1600 વર્ષ પહેલા બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની અહી વેપાર કરવા આવી હતી.
    તેઓએ ચા, કોટન અને સિલ્કનો
    વેપાર કરતા કરતા ભારત પર જ કબજો જમાવી લીધો.
  2. તમને ક્યારેક લાગતુ હશે કે 15મી ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ કેમ… તો જાણી લો કે આ નિર્ણય ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉંટબેંટને લીધો હતો. કારણ કે વર્ષ 1945માં આ જ દિવસે જાપાને બીજા વિશ્વ યુદ્ધના અંતમાં તેના સહયોગી દળના શરણે આવી ગયુ હતુ.
  3. શુ આપ જાણો છો 15મી ઓગસ્ટ ફક્ત ભારતનો જ નહી અન્ય 5 દેશોમાં પણ સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવાય છે અને આ દેશ છે બહેરીન, દક્ષિણ કોરિયા, ઉત્તરી કોરિયા, લિક્ટેસ્ટીન અને કાંગો ગણરાજ્ય.
  4. દેશને સ્વતંત્રતા મળી ગયા પછી ગાંધીજીએ ઈંડિયન નેશનલ કોંગ્રેસને ખતમ કરવાની યોજના બનાવી હતી.આ માટે તેમણે એક ડ્રાફ્ટમાં લખ્યુ હતુ કે ઈંડિયન નેશનલ કોંગ્રેસને જે ઉદ્દેશ્ય માટે બનાવી તે મેળવી લીધો છે તેથી હવે તેને ખતમ કરી દેવી જોઈએ.
  1. આપણે બધા જાણીએ છીએ કે પંડિત જવાહરલાલ નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા, પણ શુ આપ એ જાણો છો એ લોકોની પહેલી પસંદ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલને નેહરુ કરતા વધુ વોટ મળ્યા હતા પણ નેહરુની ઈચ્છા બીજા નંબર પર રહેવાની નહોતી. આથી મહાત્મા ગાંધીએ વલ્લભભાઈ પટેલને સમાજાવ્યા. જેને કારણે વલ્લભભાઈ પટેલ પાછળ હટી ગયા અને નેહરુ આઝાદ દેશના પ્રથમ વડાપ્રધાન બની ગયા.
  2. પ્રથમ પ્રધાનમંત્રી નેહરુને દુનિયાભરમાં સ્ટાઈલ આઈકોનના રૂપમાં જોવામાં આવતા હતા. તેમનુ નેહરુ જેકેટ એટલુ પ્રખ્યાત હતુ કે તેમણે Vogue મેગેઝીનના કવર પર સ્થાન મેળવ્યુ હતુ.
  3. સ્વતંત્રતા દરમિયાન ભારત પાસે કોઈ રાષ્ટ્રગાન નહોતુ. રવિન્દ્રનાથ ટૈગોરે જન ગણ મનને વર્ષ 1911માં લખ્યુ હતુ અને તેને સત્તાવાર રૂપે વર્ષ 1950માં અપનાવવામાં આવ્યુ.
  4. બધી મહેલાઓ તરફથી સ્વતંત્ર ભારતની સંસદનુ પ્રતિનિધિત્વ હંસા મેહતાએ કર્યુ હતુ.
  5. વર્ષ 1947માં ભારતીય 1 રૂપિયાની કિમંત એક ડોલરના જેટલી જ હતી. વર્તમાનમાં 70 રૂપિયાનો એક ડોલર થઈ ગયો છે.
  6. કાયદાકીય રૂપે ત્રિરંગો ફક્ત ખાદીના કપડાથે એજ બનાવવો જોઈએ. ખાદી ડેવલોપમેંટ એંડ વિલેઝ ઈંડસ્ટ્રીઝ કમિશન પાસે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનો અધિકાર છે. જો કોઈ બીજા કપડા દ્વારા બનાવેલ ઝંડો લહેરાવવામાં આવે છે તો તેને કાયદાકીય રૂપે ત્રણ વર્ષની સજા થઈ શકે છે અને દંડ પણ લાગી શકે છે.

દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા અનેક શહિદોને બલિદાનો આપ્યા છે. અનેક વીર જવનોએ પોતાના જીવનની પરવાહ કર્યા વગર આઝાદી માટે જીવન સમર્પિત કર્યું છે ત્યારે આપણને આઝાદી મળી છે. આઝાદ ભારતના નાગરિક તરીકે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ આપણી ફરજ છે. દેશમાં રહેલા દરેક નાગરિકોએ દેશની રક્ષા માટે પોતાના જીવના જોખમે સરહદ પર આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું સમ્માન કરવું જોઈએ. દેશને આઝાદી અપાવવા પોતાના બલિદાન આપનાર વીર જવાનોને આપણે ક્યારેય ના ભૂલી શકીએ. હું આશા કરું છું કે તમને આ 15 મી ઓગસ્ટ નિબંધ ગમ્યું હશે.

Leave a Comment